અંતરાત્મા

અંતરાત્મા

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "અંતરાત્મા" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા મધ્ય ૨૦ ( para.5)

એ શ્લોકનો એ અર્થ છે જે, ‘જેને વિષે ભૂતપ્રાણીમાત્ર સૂતા છે, તેને વિષે સંયમી પુરુષ જાગ્યા છે અને જેને વિષે ભૂતપ્રાણીમાત્ર જાગ્યા છે તેની કોરે સંયમી પુરુષ સૂતા છે.’ માટે જે પુરુષની અંતરાત્મા સન્મુખ દૃષ્ટિ વર્તતી હોય તેને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણની કોરે શૂન્ય ભાવ વર્તે છે, તેને દેખીને અણસમજુ હોય તે એમ જાણે જે, ‘સમાધિવાળાને જ્ઞાન ઓછું થઈ જાય છે.’ પછી રજોગુણ, તમોગુણમાં તથા મલિન સત્ત્વગુણમાં રહીને આ પ્રશ્નનો ઉત્તર કરવા જાય તેને એમ જ સૂઝે જે, ‘સમાધિવાળાને જ્ઞાન ઓછું થઈ જાય છે,’ પણ એમ નથી જાણતો જે, ‘હું દેહાભિમાની છું તે મૂર્ખાઈમાંથી કહું છું.’ માટે સમાધિવાળો તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણથી જુદો પડીને વર્તે છે, તો પણ જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને પાછો ઇન્દ્રિયો-અંતઃકરણમાં આવીને વર્તે, તો પણ પોતાને સમાધિને વિષે જે જ્ઞાન થયું છે, તેનો નાશ થાય નહિ. અને તપ, નિવૃત્તિધર્મ અને વૈરાગ્ય તેને ગ્રહણ કરીને પ્રવૃત્તિમાર્ગનો ત્યાગ કરે તો જેમ જ્ઞાન વૃદ્ધિ પામ્યું છે તેમ ઇન્દ્રિયો-અંતઃકરણની શક્તિયો પણ વૃદ્ધિ પામે અને નારદ, સનકાદિક, શુકજીના જેવી સિદ્ધગતિને પણ પામે.”

(કુલ: 1)