તદાકાર

તદાકાર

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "તદાકાર" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. કારિયાણી ૧ ( para.7)

ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! શ્રુતિ-સ્મૃતિમાં એમ કહ્યું છે જે, ‘निरंजनः परमं साम्यमुपैति’ ।। ‘बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः’।। ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ તો અમે અભક્તના મન-ઇન્દ્રિયોને કહ્યું છે, પણ ભક્તના મન-ઇન્દ્રિયો તો ભગવાનને સાક્ષાત્કારપણે પામે છે, જેમ આકાશને વિષે રહી છે જે પૃથ્વી તે પ્રલયકાળને સમે આકાશરૂપ થઈ જાય છે, અને જળ પણ આકાશરૂપ થઈ જાય છે, અને તેજ પણ આકાશરૂપ થઈ જાય છે અને વાયુ પણ આકાશરૂપ થઈ જાય છે; એમ જે ભગવાનના ભક્ત હોય તેના જે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ; તે સર્વ ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે ને દિવ્ય થઈ જાય છે. કાં જે, ભગવાન પોતે દિવ્યમૂર્તિ છે, તેના ઇન્દ્રિયો, અંતઃકરણ, દેહ તેને આકારે એ ભક્તના દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ થાય છે; માટે દિવ્ય થઈ જાય છે. ત્યાં દ્રષ્ટાંત છે; “જેમ ભમરી ઈયળને ઝાલી લાવે છે ને તેને ચટકો લઈને ઉપર ગુંજારવ કરે છે, તેણે કરીને તે ઈયળ તેને તે દેહે કરીને તદાકાર થઈ જાય છે પણ કોઈ અંગ ઈયળનું રહેતું નથી. ભમરી જેવી જ ભમરી થઈ જાય છે, તેમ ભગવાનનો ભક્ત પણ એ ને એ દેહે કરીને ભગવાનને આકારે થઈ જાય છે. અને આ જે અમે વાર્તા કહી તેનું હાર્દ એ છે જે, આત્મજ્ઞાને સહિત જે ભક્તિનિષ્ઠાવાળો છે તથા કેવળ ભક્તિનિષ્ઠાવાળો છે તે બેયની એ ગતિ કહી છે. પણ કેવળ આત્મનિષ્ઠાવાળો જે કૈવલ્યાર્થી તેના દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ; તેનું ભગવાનની મૂર્તિને તદાકારપણું નથી થતું; એ તો કેવળ બ્રહ્મસત્તાને પામે છે.” એમ વાર્તા કરીને બોલ્યા જે, “હવે એટલી વાર્તા રાખો અને સભા સર્વે શૂન્ય થઈ ગઈ છે, માટે કોઈક સારાં સારાં કીર્તન બોલો.” એમ કહીને પોતે ધ્યાન કરવા માંડ્યા ને સંત કીર્તન ગાવા લાગ્યા.

2. લોયા ૧૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે કીર્તન રાખો, હવે તો અમે વાર્તા કરીશું. અને અમે આ વાત કરીએ તેમાં જેને આશંકા ઉપજે તે પૂછજ્યો.” એમ કહીને બોલ્યા જે, “ભગવાનનો નિશ્ચય થવો તે સૌથી મહાકઠણ છે. તે નિશ્ચયની વાર્તા અતિ અટપટી છે, માટે કહેતા બીક લાગે છે જે, ‘શું જાણીએ વાત કરીએ ને તેમાંથી કોઈને અવળું પડે ? ને તેણે જે પોતાના અંગની દ્રઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને ત્રૂટી જાય તો તે મૂળગેથી જાય.’ અને એ વાત કર્યા વિના પણ ચાલતું નથી. અને એ વાત જો સમજતા ન આવડે તો દૂષણ પણ ઘણા આવે. અને આ વાત સમજે નહિ ત્યાં લગણ તેના નિશ્ચયમાં પણ કાચ્યપ ઘણી રહે છે. તે સારુ વાત કરીએ છીએ જે, ભગવાને વરાહનો દેહ ધાર્યો તે ભૂંડનું રૂપ તે અતિ કુરૂપ કહેવાય તથા મત્સ્યાવતાર ધાર્યો ત્યારે માછલા જેવું જ રૂપ હતું તથા કચ્છાવતાર ધાર્યો ત્યારે બીજા કાચબા જેવું જ રૂપ હતું તથા નૃસિંહાવતાર ધાર્યો ત્યારે વાઘના જેવું ભયાનક રૂપ હતું તથા વામનાવતાર ધાર્યો ત્યારે તે વામનરૂપના હાથપગ ટૂંકા ને કેડ્ય ધીંગી ને શરીર ધીંગુ એવા ટૂંકડા હતા તથા વ્યાસાવતાર ધાર્યો ત્યારે તે વ્યાસ કાળા હતા ને શરીરમાં મુવાળા ઘણા હતા ને શરીર ગંધાતું હતું, ઈત્યાદિક જે ભગવાને આકૃતિયો ધારણ કરી હતી ત્યારે તેને તે કાળે જે જે મળ્યા તેમણે તેવા તેવા રૂપનું ધ્યાન કર્યું છે અને તે ધ્યાને કરીને તે તે ભગવાનના રૂપને પામ્યા છે. તેમાં જે વરાહને મળ્યા તે શું ધામને વિષે ભગવાનને વરાહરૂપ જ દેખે છે ? અને મત્સ્યજીને મળ્યા તે શું ધામને વિષે મત્સ્યરૂપ જ દેખે છે ? અને કૂર્મને મળ્યા તે શું ધામને વિષે કૂર્મરૂપ જ દેખે છે ? અને નૃસિંહને મળ્યા તે શું ધામને વિષે નૃસિંહરૂપ જ દેખે છે ? અને હયગ્રીવને મળ્યા તે શું ધામને વિષે ઘોડારૂપ જ દેખે છે ? અને જેણે વરાહને પતિભાવે ભજ્યા તે શું ભૂંડણ થઈ ? ને સખાભાવે ભજ્યા તે શું ભૂંડ થયો ? અને મત્સ્યને પતિભાવે ભજ્યા તે શું માછલી થઈ ? ને સખાભાવે ભજ્યા તે શું માછલો થયો ? અને કૂર્મને પતિભાવે ભજ્યા તે શું કાચબી થઈ? ને સખાભાવે ભજ્યા તે શું કાચબો થયો ? નૃસિંહને પતિભાવે ભજ્યા તે શું સિંહણ થઈ? ને સખાભાવે ભજ્યા તે શું સિંહ થયો ? અને હયગ્રીવને પતિભાવે ભજ્યા તે શું ઘોડી થઈ? ને સખાભાવે ભજ્યા તે શું ઘોડો થયો? માટે જો ભગવાનનું મૂળરૂપ વરાહાદિક જેવું જ હોય તો તો તે તે અવતારના ભક્તોને તેના ધ્યાને કરીને તદાકારપણું થાય. ત્યારે તો કહ્યું તેમ જ થયું જોઈએ, પણ એ વાત એમ નથી.

(કુલ: 3)